
આરોપીની ગેરહાજરીમાં પુરાવો નોંધવા બાબત
(૧) આરોપી નાશી ગયેલ હોવાનુ અને તેને તરત પકડવાની કોઇ સંભાવના ન હોવાનુ સાબિત થાય તો ફરિયાદવાળા ગુના । માટે ઇન્સાફી કાયૅવાહી કરવાની અથવા ઇન્સાફી કાયૅવાહી માટે કમિટ કરવાની સતા ધરાવનાર કોટૅ તેની ગેરહાજરીમાં ફરિયાદ પક્ષ તરફથી રજુ કરેલા હોય તે સાક્ષીઓને તપાસી તેમની જુબાની લખી લઇ શકશે અને જુબાની આપનાર મૃત્યુ પામ્યો હોય અથવા જુબાની આપવા અશકિતમાન હોય અથવા શોધી શકાતો ન હોય અથવા કેસના સંજોગો જોતા ગેરવ્યાજબી ગણાય એવા વિલંબ ખચૅ કે અગવડ વિના તેને હાજર કરી શકાય તેમ ન હોય તો આરોપીને પકડવામાં આવે ત્યારે તેના ઉપર જે ગુનાનુ તહોમત મુકવામાં આવ્યુ તે ગુનાની તપાસમાં કે તે માટેની ઇન્સાફી કાયૅવાહીમાં એવી જુબાની તેની વિરૂધ્ધ પુરાવામાં આપી શકાશે
(૨) મોતની કે જન્મટીપની શિક્ષાને પાત્ર કોઇ ગુનો અજ્ઞાત વ્યકિતએ કે વ્યકિતઓએ કર્યો હોવાનુ જણાય ત્યારે હાઇકોટૅ કે સેશન્સ જજ કોઇ પહેલા વગૅના મેજિસ્ટ્રેટને તપાસ કરવા અને તે ગુના અંગે પુરાવા આપી શકે તેવા સાક્ષીઓને તપાસવાનો આદેશ આપી શકશે અને તે જુબાની આપનાર મૃત્યુ પામ્યો હોય અથવા પુરાવો આપવા અશકિતમાન હોય અથવા ભારતની હદની બહાર હોય તો એ રીતે લેવાયેલી જુબાની ત્યાર પછી જેના ઉપર તે ગનાનો આરોપી મુકવામાં આવે તે વ્યકિત વિરૂધ્ધ પુરાવામાં આપી
Copyright©2023 - HelpLaw